નવી દિલ્હી: સરકારે વરિષ્ઠ નાગરિકો (Senior Citizen) ની પેન્શન યોજના 'વડાપ્રધાન વય વંદન યોજના (PMVVY)'ના ગ્રાહકો માટે આધાર જરૂરી કરી દીધુ છે. આ યોજના વરિષ્ઠ નાગરિકોને વાર્ષિક 8 ટકા રિટર્ન (Return) આપે છે. ભારતીય જીવન વીમા નિગમ (LIC) આ યોજનાને ઓપરેટ કરે છે. 2017-18 અને 2018-19ના સામાન્ય બજેટમાં તેની જાહેરાત થઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફાઈનાન્સ મિનિસ્ટ્રીના નોટિફિકેશન મુજબ આ યોજનાનો લાભ લેવા માટે અરજી કરનારા લોકોએ આધાર સંખ્યા કે પછી આધારની પ્રોસેસની જાણકારી આપવી જરૂરી રહેશે. આ નોટિફિકેશન આધાર (નાણાકીય અને અન્ય સબસિડી, લાભ તથા સેવાઓના નિર્ધારિત વિતરણ) અધિનિયમ, 2016 હેઠળ 23 ડિસેમ્બરના રોજ બહાર પડાયું છે. 


આ નોટિફિકેશનમાં કહેવાયું છે કે જો કોઈ વ્યક્તિ આ યોજનાનો લાભ લેવા માંગતી હોય પરંતુ તેની પાસે આધાર નંબર ન હોય ક પછી તેણે આધાર માટે રજિસ્ટ્રેશન ન કરાવ્યું હોય તો તેણે આ યોજનાનો લાભ લેવા અરજી કરતા પહેલા આધાર માટે નામાંકન કે પછી રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી રહેશે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube